ઓક્સિજન આપતા વૃક્ષો- વડ
#ઓક્સિજન, પ્રાણવાયુ આપતા વૃક્ષોને વાવીએ એમનો જતન કરીએ...
#વડ એક એવું ઝાડ, જેનાથી ઘણાંય લોકોને વડ મા ભૂતનો વાસ હોય છે એવી વાતો થકી કદાચ ઓક્સિજન આપતા ઝાડના રક્ષણ માટે આવી ચર્ચાઓ ચગાવાઈ હોઈ શકે..!!
સત્ય એ છે કે, વડનું ઝાડ જેનો સૌથી વધુ ઓક્સિજન આપતા ઝાડમાં સમાવેશ થાય છે, એ ઓક્સિજન આપતા ઝાડ વડનો વૃક્ષ ધાર્મિક મહાત્મય પણ ધરાવે છે...
વડના ઝાડમા લાલ કલરની ગોળ ગોળ ટેટી કે (ટેટા) થતા હોય છે, જે ખાવામાં ખૂબ જ લિજ્જતદાર મજેદાર હોય છે...
વડ ની વેલમાંથી દાતણ કાપી દંત મંજન પણ કરાય છે, વડની દાળના એ દાતણ થકી દાંતો મજબૂત અને ચમકદાર બને છે, લાંબા સમય સુધી વડની વેલમાંથી દાતણ કરવાથી એ દાંતો આજીવન પણે ટકે એવા બને છે...
વડનું ઝાડ લાંબુ આયુષ્ય ભોગવતું વૃક્ષ છે, જે ઘણાં લાંબા સમય સુધી અક્ષય રહે છે! એટલે આ વડના વૃક્ષને અક્ષયવૃક્ષ તરીકે ઓળખવામાં આવે છે...
આવો વૃક્ષોનું મહત્વ સમજી એનો જતન કરીએ,
આપણને ઓક્સિજન પુરું પાડતા પ્રાણવાયુ આપતા વૃક્ષને વાવીએ વડના ઝાડ નું જતન કરીએ એ આપણને પ્રાણવવાયું અર્પિત કરશે...
તસ્વિર:- પ્રતિકાત્મક