આધાશીશી
CREATED BY: www.kamalking.in
દ્રાક્ષ અને ધાણાને ઠંડાપાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.
હિંગ ને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી આધાશીશી મટે છે.
હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપા નાખવાથી અથવા સુંઠને પાણીમાં ઘસી તેનો ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.
આદુનો રસ અને તુલસીનો રસ સુંઘવાથી અને નાકમાં ટીપા નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.
CREATED BY: www.kamalking.in
સુરજ ઉગે તે પહેલા ગરમા ગરમ તાજી શુદ્ધ ઘી ની જલેબી ખાવાથી અથવા કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથુ ઉતરે છે.
આમળાનું ચુર્ણ સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.
એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી અથવા ઠંડા દૂધમાં સુંઠ ઘસીને તે દૂધના ત્રણ ચાર ટીપા નાકમાં નાખવાથી આધાશીશી મટે છે.
CREATED BY: www.kamalking.in
અર્ધો ચમચો લીંબુનો રસ અને અર્ધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુઃખાવો મટે છે.
માથુ દુઃખતું હોય તો તુલસીના પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથુ ઉતરે છે.
નાળીયેરનું પાણી પીવાથી અથવા લવીગનું તેલ ઘસવાથી માથાનો દુઃખાવો મટે છે.
CREATED BY: www.kamalking.in
